દક્ષિણ ગુજરાતની સહકારી પ્રવૃત્તિઓમાં અતિ મહત્વનું સ્થાન ધરાવતી કામરેજ કેળા મંડળીમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવ્યો છે. મંડળીના પ્રમુખ જગદીશ પટેલે અચાનક પોતાના પદ પરથી રાજીનામું ધરી દેતા સહકારી અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.


 કામરેજ કેળા મંડળીના પ્રમુખનું રાજીનામું

પ્રમુખ જગદીશ પટેલે તેમના રાજીનામા પાછળ મંડળીના વહીવટમાં જોવા મળતી અરાજકતા અને સભ્યો વચ્ચેના મનમેળના અભાવને મુખ્ય કારણ ગણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર મંડળીના વહીવટમાં સભ્યો વચ્ચે એકરાગિતા (સંમતિ) રહી નથી. ટીમમાં સંકલનનો (Coordination) ભારે અભાવ જોવા મળી રહ્યો છે.કામ કરવાની પદ્ધતિમાં મનમેળ ન હોવાથી સંસ્થાના હિતમાં કામ કરવું મુશ્કેલ બન્યું હતું.

સહકારી રાજકારણમાં ગરમાવો

કામરેજ કેળા મંડળી દક્ષિણ ગુજરાતની આર્થિક કરોડરજ્જુ સમાન ગણાય છે. તેના પ્રમુખ દ્વારા આ પ્રકારે વહીવટી ખામીઓના ગંભીર આક્ષેપો સાથે રાજીનામું આપવું એ સૂચક મનાય છે. જગદીશ પટેલે હોદ્દો છોડતાની સાથે જ હવે નવા પ્રમુખ કોણ બનશે અને મંડળીમાં ચાલી રહેલી જૂથબંધી કેવી રીતે શમશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.

આ પણ વાંચો: Palanpur: હનુમાન ટેકરી પાસે મોડી રાત્રે સર્જાયો અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત

  • Follow us on: