સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈએ ગત 10 દિવસ પહેલા અચાનક રાજીનામું ધરી દેતા પાલિકાના વહીવટી અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો વ્યાપી ગયો હતો. જોકે, હવે તેમણે પોતાનું આ રાજીનામું પરત ખેંચી લેતા સમગ્ર વિવાદ પર હાલ પૂરતો પડદો પડ્યો છે.
સુરત મનપા ડેપ્યુટી કમિશનરનું યુ-ટર્ન
સ્વાતિ દેસાઈએ અંગત કારણોસર 10 દિવસ અગાઉ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ ઘટના બાદ પાલિકાના વહીવટી તંત્રમાં અનેક અટકળો વહેતી થઈ હતી. ઘણા લોકો તેને આંતરિક રાજકારણ સાથે જોડી રહ્યા હતા. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી તેમના પરિવારજનો અને નિકટના મિત્રો દ્વારા તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.










