સુરતના ઓલપાડ તાલુકાના તેના ગામે પત્રકારત્વના નામે તોડબાજી કરવાનું એક શરમજનક કૌભાંડ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર ન્યૂઝ પેજ ચલાવીને લોકો પાસેથી પરાણે પૈસા પડાવતા બે કથિત પત્રકારોની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે.
શું હતી સમગ્ર ઘટના?
આરોપીઓ 'ગુજરાત અસ્મિતા' નામે સોશિયલ મીડિયા પર ન્યૂઝ પેજ ચલાવતા હતા. તેમણે ફરિયાદીનો કોઈ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને તે બદલ મોટી રકમની ખંડણી માંગી હતી. ફરિયાદીને સતત ધાકધમકી આપીને આ તોડબાઝોએ તેમની પાસેથી રૂ.10,000 પડાવી લીધા હતા. અંતે, કંટાળીને ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ઓલપાડ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.













