સુરતમાં રસ્તા પર બેફામ દોડતા વાહનોને કારણે અકસ્માતોની હારમાળા યથાવત છે. ગત મોડી રાત્રે શહેરના પાલ-ઉમરા બ્રિજ પર એક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી હતી. જેમાં શહેરના એક જાણીતા ડોક્ટરની કારે રસ્તા પરથી પસાર થતા પાંચ જેટલા લોકોને અડફેટે લીધા હતા. અચાનક બનેલી આ ઘટનાથી બ્રિજ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અચાનક કાર કાબુ બહાર ગઈ
મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે પાલ-ઉમરા બ્રિજ પર ટ્રાફિક ઓછો હતો ત્યારે એક લક્ઝરી કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. કાર ચલાવી રહેલા ડોક્ટરે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ત્યાં હાજર પાંચ લોકોને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.










