સુરતની નામાંકિત SVNIT (સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) ના એક તેજસ્વી વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા શૈક્ષણિક જગતમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા યોગેશકુમાર નામના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ અભ્યાસના ભારે દબાણને કારણે આ પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.


સુરતમાં SVNITના વિદ્યાર્થીનો આપઘાત

મૃતક વિદ્યાર્થી યોગેશકુમાર સુરતના ઉમરા ગામ વિસ્તારમાં આવેલી શ્રમજીવી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તે SVNIT માં મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસક્રમ સાથે જોડાયેલો હતો. ગતરોજ તેણે પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પોલીસ તપાસ અને આશંકા

ઉમરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થી છેલ્લા કેટલાક સમયથી અભ્યાસના ભારણને લઈને ચિંતિત હોવાની ચર્ચાઓ છે. જોકે, હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. ઉમરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, વિદ્યાર્થીના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે જેથી આપઘાતનું સાચું કારણ જાણી શકાય.

આ પણ વાંચો:  Surat: કાપડ વેપારી સાથે 39.93 લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજ અમદાવાદથી ઝડપાયો


  • Follow us on: