શહેરના એક રહીસી વિસ્તારમાં હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન 'પ્રસાદ'નો ઉપયોગ કરીને એક આખા પરિવારને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાવતરા પાછળ બીજું કોઈ નહીં પણ ઘરની બાજુમાં જ રહેતી એક પાડોશી મહિલા હોવાનો પર્દાફાશ થયો છે.
પરિવારને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ
સુરતમાં રહેતા એક પરિવારને ખતમ કરવાના ઈરાદે પાડોશમાં રહેતી ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી નામની મહિલાએ ખતરનાક પ્લાન ઘડ્યો હતો. ઉષાબેને પ્રસાદીના લાડુમાં ઝેર ભેળવીને પડોશી પરિવારને આપ્યા હતા. પરિવારના સભ્યો આ લાડુ પ્રસાદી સમજીને ખાઈ લે અને તેમનું મોત નીપજે તેવો ક્રૂર ઈરાદો આ પાછળ છુપાયેલો હતો.
