સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત ભવન નિર્માણના ભૂમિપૂજન કાર્યક્રમમાં સામાજિક સુધારાના મંડાણ થયા છે. આ પ્રસંગે ઉપસ્થિત પાટીદાર અગ્રણીઓ અને ઉમિયાધામ માતાજી મંદિર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાએ સમાજને નવી દિશા આપવા માટે સામાજિક બંધારણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
શા માટે જરૂરી છે સામાજિક બંધારણ?
જેરામભાઈ વાંસજાળીયાએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજે આર્થિક રીતે ખૂબ પ્રગતિ કરી છે, પરંતુ હવે આ વિકાસને ટકાવી રાખવા અને નવી પેઢીને સુરક્ષિત કરવા માટે રીત-રિવાજોમાં ફેરફાર અનિવાર્ય છે. તેમના સંબોધનના મુખ્ય અંશો. સમાજના લોકો પ્રસંગોમાં થતા અંધાધૂંધ ખર્ચ અને દેખાડામાંથી બહાર આવે તે જરૂરી છે.દીકરા-દીકરીઓમાં કૌટુંબિક અને સામાજિક સંસ્કારો જળવાઈ રહે તે બંધારણનો મુખ્ય હેતુ રહેશે.બદલાતા સમય સાથે ઉભા થતા નવા સામાજિક પ્રશ્નો અને વિવાદોને અટકાવવા માટે લેખિત નીતિ-નિયમો હોવા જરૂરી છે.










