શહેરના પોશ ગણાતા અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેણાંક મકાનની આડમાં ચાલતા દેહવ્યાપારના નેટવર્કને પોલીસે ખુલ્લું પાડ્યું છે. સગરામપુરા વિસ્તારમાં બાતમીના આધારે ત્રાટકેલી અઠવાલાઇન્સ પોલીસે કુટણખાનાના બે સંચાલકો સહિત કુલ 6 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બંધ મકાનમાં ચાલતો હતો ગોરખધંધો
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સગરામપુરાની ઝુંડાશેરીમાં આવેલી યશોદા રેસીડેન્સીના ગ્રાઉન્ડ ફ્લોર પર એક બંધ મકાનમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલી રહી છે. આર્થિક લાભ મેળવવા માટે સંચાલકો બહારથી મહિલાઓને બોલાવીને અહીં કુટણખાનું ચલાવતા હતા.










