સુરતના લાલગેટ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે, જેમાં માત્ર 17 વર્ષની એક સગીરાને આશરો આપનાર દંપતીએ જ તેને દેહવ્યાપારના ગંદા ધંધામાં ધકેલી દીધી હતી. આ અંગે સગીરાએ હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવતા લાલગેટ પોલીસે તુરંત કાર્યવાહી કરી દંપતી સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
સુરતમાં સગીરા દેહ વ્યાપારમાં ધકેલાઇ
પ્રાપ્ત માહિતી મુજબ, લાલગેટ વિસ્તારમાં રહેતા એક દંપતીએ 17 વર્ષની સગીરાને આશરો આપ્યો હતો, પરંતુ આ આશરો એક ષડયંત્રનો ભાગ હતો. આ દંપતીએ સગીરાની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેને જબરદસ્તીથી દેહવ્યાપારના દલદલમાં ધકેલી દીધી હતી. સગીરા પર થતા અત્યાચાર અને આર્થિક શોષણથી કંટાળીને આખરે તેણે લાલગેટ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. સગીરાની ફરિયાદના આધારે, લાલગેટ પોલીસે તત્કાળ તપાસ હાથ ધરી હતી અને કૌભાંડ આચરનાર દંપતી તેમજ આ કૃત્યમાં સંડોવાયેલા અન્ય બે શખ્સો સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.










