સુરતમાં ડીમોનેટાઇઝેશનના સમયગાળામાં રદ થયેલી નોટોને બેંકિંગ સિસ્ટમમાં ગેરકાયદેસર રીતે જમા કરાવવાના કેસમાં ફરી એક વખત મોટો ખુલાસો થયો છે. મહર્ષિ સંજય ચોક્કાસ અને અન્ય કેટલાક સંડોવાયેલા વ્યક્તિઓ સામે નાણાં ધોવણ પ્રતિબંધક કાયદા (PMLA) હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી છે.
મોટી માત્રામાં રદ નોટો બેંકિંગ સિસ્ટમમાં ચેનલાઇઝ કરવાનો પ્રયાસ કર્યો
EDની તપાસ મુજબ મહર્ષિ સંજય ચોક્કાસ સહિતના આરોપીઓએ મોટી માત્રામાં રદ નોટો બેંકિંગ સિસ્ટમમાં ચેનલાઇઝ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કામગીરીને અંજામ આપવા માટે KYC વિના ખોલાયેલા “S.R. ટ્રેડર્સ” નામના ફ્રોડ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો.













