VNSGU કેમ્પસમાં કલ્પતરૂ આરોગ્ય ધન અને સેવા કેન્દ્ર, પુનઃનિર્મિત નર્મદ સ્મૃતિ ભવન તથા પુનઃનિર્મિત ડાઇનિંગ હોલનું લોકાર્પણ તેમજ યુટિલિટી ભવન, મ્યુઝિયમ અને સ્ટાર્ટઅપ ભવનનું ભૂમિપૂજન કરાયું હતું.
મહેનત દ્વારા વ્યક્તિ પોતાનું, પરિવારનું અને દેશનું ભવિષ્ય ઉજ્જ્વળ બનાવી શકે છે
આ પ્રસંગે કન્વેશન હોલમાં આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણની સાથોસાથ જીવનમાં પ્રેક્ટિકલ નોલેજ અત્યંત જરૂરી છે. પ્રેક્ટિકલ જ્ઞાનથી યુવાનો સ્વવિકાસ સાધી પરિવાર અને દેશને આગળ લઈ જઈ શકે છે. જીવનમાં સપનાઓ સાકાર કરવા માટે આયોજનબદ્ધ મહેનત જરૂરી છે. યોગ્ય યોજના બનાવી પોતાના સપનાઓ પર સતત કાર્ય કરવું જોઈએ. મહેનત દ્વારા વ્યક્તિ પોતાનું, પરિવારનું અને દેશનું ભવિષ્ય ઉજ્જ્વળ બનાવી શકે છે.













