દર મહિને સંકલન સમિતીની બેઠક મળતી હોય છે જેમાં ધારાસભ્ય, સાસંદ અને કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર રહેતા હોય છે, ત્યારે આ સંકલન સમિતીમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, સાંસદે અને ધારાસભ્યએ આ બેઠકમાં કહ્યું કે, સુરતમાં મેટ્રોના કામથી નાગરિકોને ભારે હાલાકી પડી રહી છે, સંકલન બેઠકમાં 2 MLA અને MPએ અવાજ ઉઠાવ્યો હતો.
બે ધારાસભ્ય અને સાંસદ મુકેશ દલાલે વિરોધ કર્યો
આ બેઠકમાં સાસંદ અને ધારાસભ્યનું કહેવું છે કે, મેટ્રોનું કામ પૂર્ણ થયા બાદ પણ બેરિકેટ દૂર નથી કરાયા અને વરાછામાં પાથરણાવાળાના લીધે ટ્રાફિક થાય છે, અડાજણમાં મેટ્રોનું કામ મંથરગતિએ ચાલતા લોકો હેરાન થઈ ગયા છે, અને મેટ્રોના કારણે 30 જેટલી દુકાનો પણ બંધ થઇ ગઇ છે અને કેટલાક લોકોને વળતર આપવામાં નથી આવતું. જે લોકોને વળતર આપવાનું છે તેમને વળતર આપો તેવી વાત પણ આ બેઠકમાં કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.
