આ ડેરી સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને બન્ને ડેરી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ શકે છે, સ્વાદપ્રીય સુરતીઓ માટે નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો ચિંતાનો વિષય બની રહ્યા છે. દૂધ, ઘી, પનીર અને માખણ જેવા આરોગ્યપ્રદ પદાર્થો પણ ભેળસેળવાળા નીકળતાં સુરતીઓ મુંઝવણમાં મુકાઈ રહ્યા છે.


અગાઉ પોંકની વાનગી વેચનારાઓને ત્યાંથી પણ સેમ્પલ લેવાયા હતા

ખાસ કરીને શિયાળાની ઋતુ એ ખાણીપીણીની છે ત્યારે જ શહેરના વિક્રેતાઓના ભોપાળાં બહાર આવી રહ્યા છે. પાંચ દિવસ પહેલાં જ પાલિકાએ લીધેલા થી અને માખણના સેમ્પલ ફેલ નીકળ્યા હતા જેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ છે ત્યારે પાલિકાએ અન્ય ડેરીઓમાંથી લીધેલ નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ બ્લોક અને નોન બ્રાન્ડેડ પનીર મીડિયમ ફેટ પનીર એનાલોગનું સેમ્પલ ધારાધોરણ મુજબના નહી હોવાનો રિપોર્ટ આવ્યો છે. બે મહિના પહેલાં સંકલનની મિટિંગમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો મુદ્દો ગાજ્યો હતો અને તે પોંકની સિઝન ચાલુ છે ત્યારે પોંકની વાનગી વેચનારાઓને ત્યાંથી પણ સેમ્પલ લેવાયા હતા.

ફૂડ વિભાગ દ્વારા ડેરી, ફરસાણ, બેકરી પ્રોડક્ટ સહિતના ખાદ્ય પદાર્થ વિક્રેતાઓ પર તપાસ જારી છે

ઝુંબેશ તરીકે શરૂ કરવામાં આવેલી કામગીરી અંતર્ગત થોડા દિવસો પહેલા બમરોલી રોડ સુખીનગર ખાતે આવેલી માતેશ્વરી ડેરી ફાર્મ પરથી લેવામાં આવેલ નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ બ્લોક અને યોગીચોક રોડના વિશ્વામિત્રી સોસાયટીના શ્રીજી ફૂડસથી લેવામાં આવેલા નોન બ્રાન્ડેડ પનીર મીડિયમ ફેટ પનીર એનાલોગનું સેમ્પલ મિસ બાન્ડેડ એટલે કે ખોટી માહિતીયુક્ત નીકળ્યું છે. રિપોર્ટ મુજબ બન્ને નમૂનાઓમાં ફેટનું પ્રમાણ લેબલ પર દર્શાવ્યા કરતા અલગ હતું. સ્વાસ્થ્ય માટે નુકસાનકારક આ પ્રમાણ હોવા છતાંય શહેરમાં લોકોની થાળી સુધી ધડલ્લે પહોંચતું હતું. આ ઉપરાંત પાલિકા દ્વારા જહાંગીરાબાદ સ્થિત દ્વારકેશ ડેરીમાંથી પણ પનીર અને પેંડાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. દરમિયાન ડેરીમાંથી નકલી પનીરનો જથ્થો પણ પકડાયો હતો.  


આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ કેસ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન NAની ઓથોરિટી હતી



  • Follow us on: