સુરત શહેરમાં ફરી એકવાર તસ્કરોનો આતંક સામે આવ્યો છે, જ્યાં ચોર ટોળકીએ ફિલ્મી ઢબે ચોરીને અંજામ આપી પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઊભા કર્યા છે. ઘટના શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી ભાવના જ્વેલર્સ નામની દુકાનમાં બની હતી. તસ્કરોએ ચોરી કરવા માટે અનોખી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. તેમણે જ્વેલર્સની દુકાનની દીવાલમાં બાકોરું પાડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો હતો.


સુરત શહેરમાં તસ્કરોનો આતંક સામે આવ્યો

પ્રાથમિક અંદાજ મુજબ, જ્વેલર્સની દુકાનમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની આશંકા છે. આ ઘટનાએ સ્થાનિક જ્વેલર્સ અને વેપારીઓમાં ભયનો માહોલ પેદા કર્યો છે.

દીવાલમાં બાકોરૂ પાડી ચોરીને અંજામ

આટલી મોટી ચોરીની ઘટનાને પગલે સ્થાનિક પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર ગંભીર સવાલો ઊઠી રહ્યા છે. વેપારીઓ માગ કરી રહ્યા છે કે પોલીસ આ બનાવમાં તુરંત જ ચોક્કસ કાર્યવાહી કરે અને આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારીને વેપારીઓને સુરક્ષા પૂરી પાડે. પોલીસે ફરિયાદ નોંધીને ચોર ટોળકીને પકડવા માટે તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: BLOની કામગીરી દરમિયાન મહિલા શિક્ષિકાની તબિયત લથડી, ICUમાં ખસેડાયા


  • Follow us on: