ગુજરાતમાં ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ધૂળેટી રમ્યા બાદ નદી કે તળાવમાં ન્હાવા પડ્યા બાદ ડૂબવાની ઘટનાઓમાં કૂલ 27 લોકોના મોત થયા હોવાના આંકડા સામે આવ્યાં છે. સુરતના તાપીમાં નદીમાં ન્હાવા પડેલા બે મિત્રો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સુરતમાં તાપી નદીમાં બે યુવકો ડૂબ્યા
સુરતમાં સરથાણા વિસ્તારમાં ગઈકાલે સાંજે બે લોકો તાપી નદીમાં ન્હાવા માટે ગયા હતાં. આ બંને જણા નદીમાં દેખાતા નહીં હોવાથી તેમના મિત્રએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી હતી. નદીમાં ડૂબેલા બંને યુવકોની શોધખોળ શરૂ કરી છે. આજે સવારથી પણ તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હજી સુધી આ બંને યુવકોનો કોઈ પત્તો લાગ્યો નથી.
