વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં યોજાનારી પંચાયત અને પાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પરીક્ષાઓના સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પરીક્ષાઓના સમયપત્રકમાં ફેરફાર
યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, 25 એપ્રિલથી 28 એપ્રિલ દરમિયાન લેવાનારી તમામ પરીક્ષાઓ હાલ પૂરતી પાછી ઠેલવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ટાફની રોકણી અને વ્યવસ્થાના ભાગરૂપે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓ અને વહીવટી તંત્રને મુશ્કેલી ન પડે.આ નિર્ણયને કારણે મુખ્યત્વે ગ્રેજ્યુએશન, B.Com, BBA, BCA, LLB, B.Com LLB.પોસ્ટ ગ્રેજ્યુએશન, LLM, M.A, M.MS.માસ્ટર ઓફ લાયબ્રેરી સાયન્સ.
