ત્યારે આ રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલ ખાતે આ વેક્સિન આપવાની કામગીરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.
14-15 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવી બાળકીઓને આ વેક્સિન આપવામાં આવશે
આ વેક્સિન સ્ત્રીઓમાં થતા સર્વાઇકલ કેન્સર એટલે કે, ગર્ભાશયના મુખનું કેન્સર સામે અસરકારક રક્ષણ પૂરું પાડે છે. નોંધનીય છે કે, ગર્ભાશયના મુખનું કેન્સર એચ.પી.વી. વાયરસના કારણે થાય છે, જેને જડમૂળથી નાબૂદ કરવાના ઉમદા હેતુથી સરકાર દ્વારા આ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સરકારની હાલની માર્ગદર્શિકા મુજબ, પ્રથમ ત્રણ માસ માટે જે બાળકીઓએ ૧૪ વર્ષ પૂર્ણ કર્યા હોય અને ૧૫ વર્ષ પૂર્ણ ન થયા હોય તેવી બાળકીઓને આ વેક્સિન આપવામાં આવશે.













