સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર સામે ED દ્વારા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ભ્રષ્ટાચાર મામલે ધરપકડ કરી લેવામાં આવી છે. જે બાદ ઈડીએ આરોપી ચંદ્રસિંહ મોરીના 14 દિવસની રિમાન્ડની માગ કરતી અરજી કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં ઈડીએ ઘણા મોટા અને ચોંકાવનારા ખુલાસ કર્યા છે.


ચંદ્રસિંહ મોરી સ્પીડ પોસ્ટના માધ્યમથી પૈસાની માંગણી કરતો હતો

આ અરજીમાં જણાવ્યા અનુસાર, ચંદ્રસિંહ મોરીના બેડરૂમમાંથી 67.50 લાખ મળ્યાં હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સાથે ઈડીનો આરોપ છે કે, આરોપી ચંદ્રસિંહ મોરી સ્પીડ પોસ્ટના માધ્યમથી પૈસાની માંગણી કરતો હતો. આ સાથે તે કમિશન એજન્ટ તેમજ દલાલ મારફતે પણ લાંચની રકમ ભેગી કરતો હતો. આ સાથે ઈડી ચંદ્રસિંહ મોરી ભ્રષ્ટાચાર કેસમાં ખંડણીની માગ અને પૈસા કેવી રીતે એકત્રિત કર્યા તેની તપાસ કરશે.

આરોપી ચંદ્રસિંહ મોરીની બેડરૂમથી 67.50 લાખ મળ્યા

સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર સામે ઈડી વિભાગ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલા ખુલાસા અનુસાર, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી ભ્રષ્ટાચાર આચરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી ચંદ્રસિંહ મોરીની બેડરૂમથી 67.50 લાખ મળ્યા છે. આરોપી સ્પીડ પોસ્ટના માધ્યમથી પૈસાની માગ કરતો હતો. આરોપી લાંચ જમીનના પર સ્કવેર મીટર પરથી ભ્રષ્ટાચાર કરતો હોવાનો ખુલાસો પણ આ અરજીમાં કરવામાં આવ્યો છે.

Pmla એક્ટ હેઠળ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ

આ લાંચની રકમ ચંદ્રસિંહ મોરી કમિશન એજન્ટ અને દલાલ મારફતે લેતો હતો. Pmla એક્ટ હેઠળ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવા અંગેની પણ તપાસની કરવામાં આવશે. મોરી પર આરોપ છે કે, તે ખંડણીની માંગ કરી પણ પૈસા એકઠા કરતો હતો. આરોપીના રિમાન્ડ અરજી પર ઓર્ડર કોર્ટ થોડીવારમાં આપે તેવી શક્યતા છે.


આ પણ વાંચો - Surendranagar News : કલેક્ટરથી ક્લાર્ક સુધી ભ્રષ્ટાચારની કડીઓ, EDના દરોડા બાદ અધિકારીઓ પર સકંજો, તંત્રમાં ખળભળાટ



  • Follow us on: