આ મુલાકાત દરમિયાન મંત્રીએ શિક્ષણની ગુણવત્તા અને શાળાકીય સુવિધાઓ અંગે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી. શાળાના આચાર્ય શ્રી મહિપતસિંહ જેતાવત પાસેથી તેમણે શિક્ષકોના મહેકમ, વિદ્યાર્થીઓની સંખ્યા અને શાળાની પ્રવૃત્તિઓ અંગે વિગતવાર વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મંત્રીએ શાળાની કમ્પ્યુટર લેબની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના ટેકનિકલ જ્ઞાનની ચકાસણી કરી હતી
તેમણે બાળકો સાથે કમ્પ્યુટર વિષયક પ્રશ્નોત્તરી કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત, તેમણે ધોરણ-૩ અને ૪ના વર્ગખંડોમાં જઈ વિદ્યાર્થીઓના વાંચન અને લેખન કૌશલ્યનું નિરીક્ષણ કર્યું હતું. શિક્ષકો સાથેની ચર્ચામાં મંત્રીશ્રીએ બાળકોની હાજરી વધારવા અને અભ્યાસમાં તેમનો રસ જળવાઈ રહે તે માટે રચનાત્મક પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો.
