જિલ્લાના છેવાડાના ગામો સુધી પાકા રસ્તાઓનું નેટવર્ક મજબૂત બને તે દિશામાં વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અનેક ગ્રામીણ માર્ગોનો કાયાકલ્પ થઈ રહ્યો છે.
અંદાજે રૂ. 1.05 કરોડના માતબર ખર્ચે આ માર્ગના રિસરફેસિંગનું કાર્ય પ્રગતિ હેઠળ
આ અભિયાન અંતર્ગત પંચાયત માર્ગ અને મકાન વિભાગ, સુરેન્દ્રનગર હસ્તકના લીંબડી તાલુકામાં આવતા અંકેવાળિયાથી ઉમેદપર રોડના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજે રૂ. ૧.૫ કરોડના માતબર ખર્ચે આ માર્ગના રિસરફેસિંગનું કાર્ય પ્રગતિ હેઠળ છે. આ કામગીરી પૂર્ણ થતા આ વિસ્તારના વાહનચાલકોને સુવિધાયુક્ત પરિવહન ઉપલબ્ધ થશે.
