તાપીમાં ત્રિપલ અકસ્માતની ઘટના બની છે જેમાં ખાનગી બસ ચાલકે કાબુ ગુમાવતા બસે પલટી મારી હતી અને ખાનગી બસમાં સવાર 50 મુસાફરો પૈકી 23 મુસાફરોને ઈજા પહોંચી હતી, ખાનગી બસ મહારાષ્ટ્રના અકોલાથી અમદાવાદ જતી હતી અને તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.
તાપીમાં ત્રિપલ અકસ્માતમાં 23ના મોત
બાજીપુરા બાયપાસ રોડ પર મીંઢોળા નદીના પુલ નજીક વહેલી સવારે આ ઘટના બની હતી અને પલટી થયેલી ટ્રકમાં પાછળ આવતા બાઇક સવારો ઘૂસ્યા હતા અને બાઇક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, પાછળથી પૂરપાટ આવતી લકઝરીના ચાલકે કાબુ ગુમાવતા ડીવાઈડર પર બસ ચઢી ગઈ હતી અને પલટી મારી હતી, લકઝરી બસમાં રહેલા મુસાફરોને પણ નાની મોટી ઈજા પહોંચી હતી, મહત્વની વાત તો એ છે કે, આ ઘટનામાં કોઈનું મોત થયું નથી.
