આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું આજે અવસાન થયું છે. તેમના નિધનથી ખેડા અને આણંદ જિલ્લા સહિત ગુજરાતમાં શોકની લાગણી ફરી વળી હતી.

તેઓ જમીન સાથે જોડાયેલા નેતા હતા

ગોવિંદભાઇનો જન્મ 1943માં થયો હતો. તેઓ જમીન સાથે જોડાયેલા નેતા હતા અને જનતાની વચ્ચે રહીને કામ કરનારા નેતા હતા. તેઓ સહકારી ક્ષેત્રમાં સક્રિય હતા


સહકારી ક્ષેત્રમાં અગ્રણી તરીકેની ભૂમિકા અદા કરી હતી


તેમણે જિલ્લાના સહકારી ક્ષેત્રમાં અગ્રણી તરીકેની ભૂમિકા અદા કરી હતી. તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચુક્યા હતા. ક્ષત્રિય ઠાકોર સમાજમાં તેમનું વર્ચસ્વ હતું અને ઉમરેઠ સહિતના વિસ્તારોમાં તેમનો ભારે પ્રભાવ હતો.


ગોવિંદભાઇ સાદગી માટે પણ જાણીતા હતા


ગોવિંદભાઇ સાદગી માટે પણ જાણીતા હતા અને લોકોમાં આદરભર્યું સ્થાન ધરાવતા નેતા હતા. તેઓ સરકારમાં મંત્રી પણ રહી ચુકેલા હતા. જ્યારે 2017માં તેઓ ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે તેમને તે વખતની વિજય રુપાણીની સરકારમાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું. તેમણે પંચાયત વિભાગ સ્વતંત્ર હવાલો સંભાળ્યો હતો અને પર્યાવરણ વિભાગના પણ તેઓ રાજ્ય કક્ષાના મંત્રી હતા.


2022માં ત્રીજી વખત ધારાસભ્ય બન્યા

2022માં પણ વિધાનસભા ચૂંટણીમાં ઉમરેઠ બેઠક પરથી તેઓ જંગી મહુતી સાથે જીતી ગયા હતા અને ત્રીજી વખત ધારાસભ્ય તરીકે પણ રહ્યા હતા


2002માં કોંગ્રેસમાંથી ઉમરેઠ બેઠક પર ચૂંટણી લડી હતી

આ પહેલા તેઓ 2002માં કોંગ્રેસમાંથી ઉમરેઠ બેઠક પર ચૂંટણી લડી હતી અને વિજેતા બન્યા હતા. ઉમરેઠ બેઠક પર તેઓ ત્રણ ટર્મ ધારાસભ્ય તરીકે રહ્યા હતા

મહાનુભાવોની શ્રદ્ધાંજલિ

તેમના અવસાનથી ખેડા અને આણંદ પંથકમાં શોકની લાગણી ફરી વળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ ગોવિંદભાઇને શ્રદ્ધાંજલિ અર્પી હતી

  • Follow us on: