ગિર સોમનાથ જિલ્લાના ચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મહત્વપૂર્ણ ન્યાયિક વળાંક આવ્યો છે. લગભગ 10 વર્ષ જૂના આ ચકચારી કેસમાં વેરાવળ સેસન્સ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.
મુખ્ય 5 આરોપીઓ દોષિત જાહેર
કોર્ટના નિર્ણય મુજબ FIRમાં નામ ધરાવતા કુલ 39 આરોપીઓમાંથી મુખ્ય 5 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામી દોષિત જાહેર કરાયા છે. કોર્ટે આ પાંચેય આરોપીઓને દોષિત ઠરાવ્યા છે.













