વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એક સગીર વયના કારચાલકે બેફામ ગતિએ કાર હંકારીને ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. અમિતનગર સર્કલ પાસે બનેલી આ ઘટનામાં સગીરે રસ્તા પર જઈ રહેલા 3 થી 4 રાહદારીઓને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી.


રાહદારીઓને ગંભીર ઈજા

પ્રાપ્ત માહિતી અનુસાર, કારેલીબાગના અમિતનગર પાસે સગીર કારચાલકે અચાનક કાબૂ ગુમાવતા રાહદારીઓ કારની અડફેટે આવ્યા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

લોકોનો રોષ અને પોલીસની કામગીરી

અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સગીર કારચાલક પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. ઉશ્કેરાયેલા રાહદારીઓએ કારચાલકનો હુરિયો બોલાવ્યો હતો અને માહોલ તંગ બની ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. લોકોના રોષનો ભોગ બનતા સગીરને પોલીસે સમયસૂચકતા વાપરીને બચાવી લીધો હતો. પોલીસે હાલ સગીર કારચાલકની કસ્ટડી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: ખાનગી શાળાઓનું મનપામાં વિલીનીકરણ, મહાનગરપાલિકા સંભાળશે સંચાલન અને ટ્રસ્ટી તરીકેની જવાબદારી

 

  • Follow us on: