શહેરમાં હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વેગીલી બની છે, જેને પગલે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની કામગીરીને ધ્યાનમાં રાખીને શહેરના વ્યસ્ત ગણાતા અલકાપુરી ગરનાળાને આજ રાતથી વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


વડોદરા શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું 

ટ્રાફિક એસીપી (ACP) ડી.એમ. વ્યાસે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ માટે ભારે મશીનરી અને ગર્ડર લોન્ચિંગ જેવી કામગીરી કરવાની હોવાથી સુરક્ષાના કારણોસર ગરનાળુ બંધ રાખવું અનિવાર્ય છે.આજ રાત્રે 12:00 વાગ્યા બાદ ગમે ત્યારે ગરનાળુ બંધ કરી દેવામાં આવશે, જે આગામી 12મી જાન્યુઆરી સુધી બંધ રહેશે. હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી સુરક્ષિત રીતે પૂર્ણ કરવી.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી

ગરનાળુ બંધ રહેવાના કારણે વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક રૂટ (ડાયવર્ઝન) જાહેર કરવામાં આવ્યા છે, જે વાહનો રેલવે સ્ટેશનથી અલકાપુરી તરફ જવા માંગતા હોય, તેમણે પંડ્યા બ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. કાલાઘોડા સર્કલથી અલકાપુરી તરફ આવતા વાહનોને જેતલપુર બ્રિજ તરફથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નાગરિકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા અને ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. 12મી જાન્યુઆરી સુધી આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા હોવાથી વાહનચાલકોને સમયસર નીકળવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવાયું છે.

આ પણ વાંચો:ટેક્સટાઇલ માર્કેટનો બાંગ્લાદેશને ઝટકો, 1000 કરોડનો વેપાર બંધ



  • Follow us on: