વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ફરી એકવાર જટિલ ઓપરેશનમાં સફળતા મેળવીને નવજાત શિશુ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ગોધરાના એક પરિવારમાં જન્મેલા માત્ર બે દિવસના બાળકની અન્નનળી અને શ્વાસનળી પરસ્પર જોડાયેલી હોવાની ગંભીર ખામીનું તબીબોએ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે.


SSG ફરી એકવાર જટિલ ઓપરેશનમાં સફળતા

બાળકનો જન્મ થયો ત્યારે જ જાણવા મળ્યું હતું કે તે 'ટ્રેકિઓ-ઈસોફેજિયલ ફિસ્ટ્યુલા' નામની ગંભીર અને દુર્લભ બીમારીથી પીડાય છે. આ સ્થિતિમાં બાળકની અન્નનળી અને શ્વાસનળી જોડાયેલી હોય છે, જેને કારણે બાળક જે દૂધ પીએ તે સીધું ફેફસામાં જવાની દહેશત રહે છે. જો સમયસર સારવાર ન મળે તો આ સ્થિતિ નવજાત બાળક માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

પડકારજનક સર્જરી અને રિકવરી

બાળકની ગંભીર સ્થિતિને જોતા તેને જન્મના માત્ર 11 કલાકમાં જ ગોધરાથી વડોદરા રિફર કરવામાં આવ્યું હતું. બાળકનું ઓછું વજન અને ઇન્ફેક્શનના જોખમ વચ્ચે નિષ્ણાત સર્જરી ટીમ દ્વારા ઓપરેશનનો નિર્ણય લેવાયો હતો. ઓપરેશન બાદ સતત 10 દિવસ સુધી બાળકને મિકેનિકલ વેન્ટિલેટર પર રાખીને ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું હતું. અંતે 'ડાઈ સ્ટડી'  ટેસ્ટ દ્વારા ખાતરી કર્યા પછી કે બધું સામાન્ય છે, બાળકને રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Godhra: વેજલપુર પાસે ટ્રક અને કારની જોરદાર અથડામણ, અકસ્માત બાદ ટ્રક દુકાનમાં ઘુસી


  • Follow us on: