વડોદરામાં રૂપિયાની લેતીદેતી મામલે બે યુવકોના અપહરણની ઘટનાએ ચકચાર મચાવી છે. મકરપુરા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી અપહરણકારોના ચુંગાલમાંથી બંને યુવાનોને હેમખેમ છોડાવી પરિવારને સોંપ્યા છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રૂપિયાની લેતીદેતી મામલે અપહરણ
મળતી માહિતી મુજબ, રૂપિયાની લેતીદેતીના વિવાદમાં આદિત્ય ચૌહાણ અને વિશાલ રોહિત નામના બે યુવકોનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ વિશાલ રોહિતને અપહરણ કરી હાલોલ તરફ ફેંકી દીધો હતો, જ્યારે આદિત્ય ચૌહાણને પોતાની સાથે પ્રાંતિજ સુધી લઈ ગયા હતા.










