ગુજરાતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુસ્લિમ પરિવારે ઉછેરીને મોટા કરેલા એક અનાથ યુવકને હવે હિન્દુ બનવું છે. સિરાજ નામના યુવકે હિન્દુ ધર્મ અંગીકાર કરવા માટે કલેક્ટરને અરજી કરી છે. મુળ સુરતનો સિરાજ વડોદરામાં નોકરી કરતો હતો. તેને પ્રતાપનગરના આશ્રમ સંચાલકનો પણ સહકાર મળ્યો છે.

વડોદરામાં અનાથ યુવકને બનવું છે હિન્દુ

વડોદરામાં મુસ્લિમ પરિવારમાં ઉછરેલા એક અનાથ યુવકે કલેક્ટર કચેરીમાં હિન્દુ બનવા માટે અરજી કરી છે. સિરાજને હવે હાર્દિક બનવું છે. તે મુળ સુરતનો છે અને વડોદરામાં નોકરી કરતો હતો. હવે તે મુસ્લિમ ધર્મમાંથી હિન્દુ ધર્મ અંગીકાર કરવા માંગે છે.

આખરી નિર્ણય કલેક્ટર કચેરી દ્વારા લેવામાં આવશે

આ બાબતે અખિલ ભારતીય બ્રાહ્મણ સભા પ્રમુખ અને ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ કહ્યું હતું કે, સિરાજને હિન્દુ બનવું છે તે સારી વાત છે. આ માટે કાયદાની પ્રોસેસ પૂર્ણ કરવી જરૂરી છે. આ માટેનો આખરી નિર્ણય કલેક્ટર કચેરી દ્વારા લેવામાં આવશે. સિરાજને આ માટે પ્રતાપનગર આશ્રમ સંચાલકનો પણ સહકાર મળ્યો હોવાની વિગતો સામે આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News : ગુજરાતની ટેકનિકલ કોલેજોની ફી જાહેર થઈ, 27 કોલેજમાં 1થી 2 ટકા ફીનો વધારો થયો