હાલમાં દિવસે ને દિવસે વધી રહેલા હૃદય રોગના હુમલાઓ એક ચિંતાનો વિષય બન્યો છે, તેવામાં વડોદરામાં એક જ દિવસમાં વધુ ત્રણ વ્યક્તિઓ બેભાન થઈને ઢળી પડતા ત્રણેયના હૃદય રોગના હુમલાને કારણે મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક તારણ સામે આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરામાં હાર્ટ એટેકથી 3ના મોત થયા !
પ્રથમ બનાવમાં, વાઘોડિયા રોડ ઉપર પૂનમ પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતા ૫૬ વર્ષીય રાજેશભાઈ નારાયણભાઈ રાણા કોઠી સરકારી પ્રેસમાં ફરજ બજાવતા હતા. રાજેશભાઈ ગુરુવારે સવારે ઉઠ્યાં હતા અને ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયા હતા. જ્યાં બશ કરતા કરતા જ તેઓ ઢળી પડતા પત્ની દોડી આવી હતી અને રાજેશભાઈને સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.













