કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરમાં આજે વલસાડ ખાતે ટેકનિકલ ખામી સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મંત્રી નીતિન ગડકરી દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમિયાન વલસાડના ડુંગરી રોલાથી હેલિકોપ્ટર મારફતે મહારાષ્ટ્રના પાલઘર (સંભવતઃ તલાસરી) તરફ જવા રવાના થવાના હતા, તે જ સમયે હેલિકોપ્ટરમાં આ ખામી સર્જાઈ હતી.


નીતિન ગડકરીના હેલિકોપ્ટરમાં ખામી 

તાત્કાલિક ધોરણે સમગ્ર મામલે ટેક્નિકલ ટીમ દ્વારા હેલિકોપ્ટરની તપાસ હાથ ધરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ખામી ગંભીર ગણાય છે.

હેલિકોપ્ટરની તપાસ હાથ ધરી

ઉલ્લેખનીય છે કે, નીતિન ગડકરી આજે સુરતથી નીકળીને પલસાણા ખાતે અંડરપાસ બનાવવાની ખાતરી આપી હતી અને તેઓ પાલઘર ખાતે અંડર ટનલનું નિરીક્ષણ કરવા જઈ રહ્યા હતા. હેલિકોપ્ટરમાં ખામીના કારણે તેમના આગળના કાર્યક્રમમાં વિલંબ થવાની શક્યતા છે.

આ પણ વાંચો: મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર રેનીને હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા


  • Follow us on: