વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાંથી માનવતાને લજવતો અને શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંની એક કુમાર-કન્યા છાત્રાલયમાં જ કન્યાઓની સુરક્ષા જેમના હાથમાં છે, તેવા સંચાલક સુનિલ જાધવ વિરુદ્ધ 13 વર્ષીય સગીરા સાથે અશ્લીલ અડપલાં કરવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.


ધરમપુરમાં વિદ્યાર્થિની સાથે અડપલાં

ધરમપુર તાલુકાની આ છાત્રાલયમાં રહીને ધોરણ-8માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થિની સાથે સંચાલક સુનિલ જાધવ છેલ્લા કેટલાક સમયથી અયોગ્ય વ્યવહાર કરી રહ્યો હતો. આક્ષેપ મુજબસંચાલક સુનિલ જાધવ અવારનવાર કોઈને કોઈ બહાને સગીરાને પોતાની પાસે બોલાવતો હતો.એકાંતનો લાભ લઈ તે વિદ્યાર્થિની સાથે અશ્લીલ હરકતો અને અડપલાં કરતો હતો.સંચાલકના આ કૃત્યથી ડરેલી સગીરાએ હિંમત ભેગી કરી તેના માતા-પિતાને સમગ્ર હકીકત જણાવી હતી.

માતા-પિતાએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો 

પોતાની દીકરી સાથે થયેલા અન્યાય બાદ માતા-પિતાએ તાત્કાલિક ધરમપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને સંચાલક સુનિલ જાધવ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ નરાધમે અન્ય કોઈ વિદ્યાર્થિનીઓ સાથે પણ આવી હરકત કરી છે કે કેમ.

આ પણ વાંચો: Jamnagar: રેલવે વિભાગ દ્વારા મેગા ડિમોલિશન, સિદ્ધાર્થનગર પાસે 700 મીટરના દબાણો પર ફર્યું જેસીબી

  • Follow us on: