ગુજરાતમાં સરકારી ભરતી માટેની CCE ની નવી પરીક્ષા પદ્ધતિ સામે રાજ્યભરના ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકના સેંકડો વિદ્યાર્થીઓએ આજે એકઠા થઈને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને વર્તમાન પરીક્ષા પદ્ધતિમાં તાત્કાલિક ફેરફાર કરવાની માંગ કરી હતી.
નોર્મલાઈઝેશન પ્રક્રિયા મહેનતુ વિદ્યાર્થીઓ માટે અન્યાય
વિદ્યાર્થીઓનો મુખ્ય આક્ષેપ 'નોર્મલાઈઝેશન' પ્રક્રિયા સામે છે. વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે અગાઉની પરીક્ષાઓમાં નોર્મલાઈઝેશનના કારણે ગુણમાં ૩૭ માર્ક્સ સુધીનો મોટો તફાવત જોવા મળ્યો હતો, જેના કારણે અનેક તેજસ્વી ઉમેદવારો મેરિટમાંથી બહાર ફેંકાઈ ગયા છે.
