દ્વારકાના જામ ખંભાળિયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મુસાફરોથી ભરેલી એક કાર કોઝવે પુલ પરથી પાણીમાં ખાબકી હતી. પ્રાથમિક અહેવાલ મુજબ, કાર ચાલકે કોઈ કારણસર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા આ દુર્ઘટના સર્જાઈ હતી. કાર ચુડેશ્વરથી દ્વારકા તરફ જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો, જેના કારણે કારમાં સવાર મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા.
સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યા જીવ













