ધરોઇ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પૂર આવ્યું છે જેના કારણે સાબરમતીના કિનારાના ગામોના લોકોનું સ્થળાંતર શરુ કરાયું છે. ખેડામાં પણ સાબરમતીમાં પૂરની સ્થિતી છે જેથી નદીકાંઠાના ગામોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.


સ્થળાંતરની કાર્યવાહી શરુ

ખેડા અને માતર તાલુકાના ગામોમાં સાબરમતી નદીના પૂરની અસર જોવા મળી રહી છે જેના કારણે આસપાસના ગામોમાં અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે . તંત્રએ તાત્કાલિક નદી કાંઠાના ગામોમાં સ્થળાંતરની કાર્યવાહી શરુ કરી છે

તત્કાળ નદી કાંઠાના ગામોના લોકોને ઘર છોડી દેવા સુચના

નદી કાંઠાના રસીકપુરા, નાની કલોલી , પથાપુરા બરોડા. અસામલી ગામોમાં પ્રાંત અને પોલીસ દ્વારા લોકોને ઘર છોડી દેવા સૂચના અપાઇ છે જેથી જાનહાનિ ટાળી શકાય. માતર ધારાસભ્ય કલ્પેશ પરમારે પણ લોકોને અપીલ કરી છે અને પશુધન અને કિંમતી સામાન લઈને રહેણાંક ને છોડી દેવા જણાવાયું

લોકોને મનાવાના પ્રયાસ

ઘણા લોકો રહેણાંક છોડવા તૈયાર ન થતા પોલીસ, અધિકારીઓ, નેતાઓ દ્વારા મનાવવાના પ્રયાસ કરાયા હતા. સ્થળાંતર માટે વહીવટી તંત્ર દ્વારા 22 જેટલા વાહન તૈયાર કર્યા છે જ્યારે બચાવ માટે ખેડા ફાયરની ટીમોને પણ તૈનાત કરી દેવાઈ છે. 

  • Follow us on: