વાંકાનેર તાલુકાના સતાપર ગામમાં એક દુઃખદ ઘટના બની હતી. જ્યાં એક દીપડાનું વીજશોક લાગવાથી મોત થયું હતું. આ ઘટના સતાપર ગામના ખેડૂત કુશલભાઈ મકવાણાની વાડીમાં ગત રાત્રિ દરમિયાન બની હતી. દીપડાના મોતથી ખેડૂતોમાં ફેલાયેલો ભય હવે દૂર થયો છે. રાત્રિના સમયે ખેડૂતની વાડીમાં આવેલા ટ્રાન્સફોર્મર પર દીપડો ચડી ગયો હતો.
ટ્રાન્સફોર્મર પર ચડી ગયેલા દીપડાને વીજશોક લાગતા મોત













