નવસારી જિલ્લા માટે એક સારા સમાચાર છે. કારણ કે હવેથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ નવસારી ખાતે પણ રહેશે. આ નવા સ્ટોપેજની શરૂઆત કરવા માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ ખાસ સુરતથી વંદે ભારત ટ્રેનમાં નવસારી આવ્યા હતા. નવસારી રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં તેમણે ટ્રેનને લીલીઝંડી બતાવીને આગળ રવાના કરી હતી.
સી.આર.પાટીલે ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરી













