ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ રાજીનામું આપી દેતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો હતો. બીજી બાજુ ગુજરાતમાં પણ ચૂંટણી પહેલા AAPમાંથી અનેક નેતાઓ છૂટા થયા હતાં અને પક્ષ પલટો કરી ગયા હતાં. તાજેતરમાં જ ખેડૂત નેતા રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. હવે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા સાગર રબારીએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.




આમ આદમી પાર્ટીમાંથી એક દિગ્ગજ નેતાની વિદાય

સાગર રબારીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને કહ્યું હતું કે, હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા અહીં પુરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા અને જવાબદારીઓમાંથી પોતાને મુક્ત કરૂ છું. સહયોગ બદલ સહુ સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. વ્યક્તિગત સંબંધો અને દોસ્તી ગૌરવપૂર્ણ રીતે અકબંધ રહેશે. સાગર રબારીના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીમાંથી એક દિગ્ગજ નેતાની વિદાય થઈ છે.


આ પણ વાંચોઃ Local body election: અમદાવાદના કુબેરનગરમાં મારામારી મુદ્દે કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 સામે ગુનો દાખલ


  • Follow us on: