રાજ્યમાં આજથી SIRની કામગીરીનો પ્રારંભ થયો છે. આ કામગિરીમાં મતદાર યાદીમાં સમાવિષ્ટ નામોની ચકાસણી કરવામાં આવશે અને ડુપ્લીકેશન ધરાવતો નામો તથા મૃતકના નામોને યાદીમાંથી દુર કરવામાં આવશે.


 ગુજરાતમાં પણ આજથી મતદાર યાદીની ચકાસણીનું કામ

બિહારમાં SIRની કામગિરી પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે હવે દેશના 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 28 ઓક્ટોબરથી SIRની કામગિરી શરુ કરવાની જાહેરાત કરી હતી. આ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં પણ આજથી મતદાર યાદીની ચકાસણીનું કામ શરુ કરાશે.

 આજથી મતદારોનું વેરિફિકેશન કરવામાં આવશે.

ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ દ્વારા આજથી મતદારોનું વેરિફિકેશન કરવામાં આવશે. ખાસ કરીને ચૂંટણીઓમાં થતા બોગસ વોટિંગ અટકાવવાના ભાગરુપે ચૂંટણી પંચ દ્વારા આ કવાયત શરુ કરાઇ રહી છે.

ડુપ્લીકેટ વોટર તથા મૃતકોના નામ યાદીમાંથી દૂર કરાશે

આ પ્રક્રિયા દ્વારા ડુપ્લીકેટ વોટર તથા મૃતકોના નામ યાદીમાંથી દૂર કરાશે. ઉપરાંત બે સ્થળે મતદાર યાદીમાં નામ હોય તેવા પણ કેસ ધ્યાનમાં રાખીને કામગિરી કરાશે.

 50963 BLO ઘરે ઘરે જઇને વેરિફિકેશન કરશે

રાજ્યના 50963 BLO ઘરે ઘરે જઇને વેરિફિકેશન કરશે. ચૂંટણી પંચના કહેવા મુજબ દરેક BLO દરેક ઘરની 3 વખત મુલાકાત કરશે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં હાલની સ્થિતિએ 5 કરોડથી વધુ મતદારો છે.


  • Follow us on: