રાજ્યમાં નવા મંત્રીમંડળની રચના થયા બાદ હવે નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે ત્યારે ગાંધીનગરથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. હવે રાજ્યના 2 મંત્રીઓને પ્રવક્તા મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.


 ડે. સીએમ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને વધુ એક મહત્વની જવાબદારી

મંગળવારે રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે. ડે. સીએમ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને વધુ એક મહત્વની જવાબદારી આપવામાં આવી છે. હર્ષ સંઘવી હવે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવશે.

મંત્રી જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવાયા

આ સાથે મંત્રી જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવાયા છે. ઉલ્લેખનિય છે કે અગાઉના મંત્રીમંડળમાં ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

હવે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી સરકારના પ્રવક્તા મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવશે

હવે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી સરકારના પ્રવક્તા મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવશે. ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારનું નવું મંત્રીમંડળ બન્યા બાદ દિવાળી પહેલા શપથ સમારોહ યોજાયો હતો અને ત્યારબાદ દિવાળીના તહેવારો સમયે તમામ મંત્રીઓએ પોતાનો પદભાર સંભાળી લીધો હતો અને રાજ્યના નવા મંત્રીમંડળે કામ કરવાનું પણ શરુ કરી દીધું છે

  • Follow us on: