પોરબંદરના ધરમપુર નજીક આવેલા નેશ વિસ્તારમાં ભારતીય નૌસેનાનું એક અનઆર્મ એરિયલ વેહિકલ (UAV) ક્રેશ થયાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાની જાણ થતા જ નૌસેનાના અધિકારીઓ,પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
સુરક્ષા એજન્સીઓ દ્વારા વિસ્તારને કોર્ડન કરી લેવાયો
આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.હાલમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને ટેકનિકલ ખામી કે અન્ય કયા કારણોસર આ UAV ક્રેશ થયું, તે અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવને પગલે આસપાસના વિસ્તારોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું.
