રાજકોટ શહેરના લાખાજીરાજ રોડ પર પાથરણાવાળાનો આતંક સામે આવ્યો છે. જેમાં પાથરણાવાળાએ દુકાનદારને રસ્તા પર લાવીને ધોઈ નોખ્યો હતો. ઘટના એવી બની હતી કે લાખાજીરીજ રોડ પર આવેલી એક દુકાનની બહાર ઘણા સમયથી પાથરણાવાળાએ પોતાનું પાથરણું પાથરીને વ્યવસાય કરતો હતો. જે બાબતે દુકાનદારે પાથરણાવાલાને સમજવવાનું વિચાર્યું. ત્યાર બાદ દુકાનદાર દ્વારા પાથરણાવાળાને સમજાવવા તેની સાથે વાતચીત કરવા પહોંચ્યો હતો. એકાએક આ વાતચીતે રૌદ્ર રૂપ ધારણ કરી લીધુ હતું.


પાથરણાવાળાએ પ્લાસ્ટિકના ધોકા વડે દુકાનદાર કર્યો હતો હુમલો

પાથરણાવાળા સાથે વાતચીત કરી ખાલી પાથરણું ત્યા ન પાથરવાની વાત કરવા માટે બોલાવ્યો હતો. પરંતું મામલો બિચકાતા પાથરણાવાળાએ દુકાનદાર પર હુમલો કરી દીધો હતો. આ ઘટના દરમિયાન પાથરણાવાળાએ આખો લાખાજીરાજ રોડ માથે લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમા સ્પષ્ટ રીતે જોવા મળે છે કે પાથરણાવાળા દ્વારા પ્લાસ્ટિકના ધોખા વડે દુકાનદાર પર હુમલો કર્યો હતો.

પાથરણાવાળાના આતંક વિશે અનેક વાર વેપારીઓએ મનપાને કરી હતી રજૂઆત

આ ઉપરાંત હુમલો કરનારા બે શખ્સો સીસીટીવીમાં દેખાયા હતા. આ હુમલા બાદ વેપારીએ એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસે વેપારીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પાથરણાવાળાના આતંક વિશે અનેક વાર લાખાજીરાજના વેપારીઓ દ્વારા મનપાને અવાર-નવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં મનપા દ્વારા આ પાથરણાવાળા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.


  • Follow us on: