રાજકોટ TRP ગેમ ઝોન કેસ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ TPO મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કર્યા છે. છેલ્લા સવા વર્ષથી મનસુખ સાગઠિયા જેલમાં બંધ છે. જામીન મળ્યા બાદ પણ સાગઠિયાને જેલમાં રહેવું પડશે. સાગઠિયા સામે અન્ય બે કેસ નોંધાયેલા છે. બોગસ મિનિટ્સ બુક મુદ્દે પણ સાગઠિયા સામે કેસ છે. અપ્રમાણસર મિલ્કતના કેસમાં જેલમાં રહેવું પડશે.અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાએ લાંચ લીધી હોવાની કબૂલાત કરી હતી. આ સમગ્ર ઘટનાની તપાસ ઈડી અને એસઆઈપીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
પૂર્વ TPO મનસુખ સાગઠિયાના જામીન મંજૂર













