રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલી સોસાયટીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લેતાં સમગ્ર શહેરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.પરિવારના મોભી, તેમની પત્ની અને પુત્ર ત્રણેય જણાએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લેતા પરિવારમાં આક્રંદ ફેલાયો છે.આ કરૂણ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી

મળતી વિગતો અનુસાર,પરિવારના સભ્યોએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી.પત્ની સ્મિતાબેનનું સ્થળ પર જ અથવા પ્રાથમિક તબક્કે મોત નિપજ્યું હતું.જ્યારે ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયેલા પતિ દિલીપભાઈ ખખર અને પુત્ર નિશિત ખાખરનું પણ સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું.એક જ પરિવારના ત્રણેય સભ્યોના મોત થતાં ઘટનાએ અત્યંત ગંભીર રૂપ ધારણ કર્યું છે.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો

પ્રાથમિક તપાસ અને તારણ મુજબ આ પરિવારે આર્થિક સંકડામણ અને નાણાકીય બોજથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે.ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો.પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને પરિવાર આર્થિક સંકડામણમાં કેવી રીતે ફસાયો હતો તે સહિતના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Dholera News: પીપળી ગામમાં વરસાદી પાણીમાં ફસાયેલા 58 લોકોનું NDRFની ટીમે રેસ્ક્યૂ કર્યું