રાજકોટના પ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળામાં દેશ-વિદેશથી આવતા મુલાકાતીઓના આરોગ્યની જાળવણી માટે ફૂડ વિભાગ મારફતે કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. મહાનગરપાલિકાના ફૂડ વિભાગે તા. 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન મેળા પરિસરમાં આવેલા વિવિધ ખાદ્યચીજોના સ્ટોલ તેમજ ફેરિયાઓનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી.
વાસી બટેટા, દાઝેલું તેલ અને ચટણી જપ્ત કરાયા
તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં અસ્વસ્થ અને આરોગ્ય માટે હાનિકારક સામગ્રી મળી આવી હતી. ફૂડ વિભાગની ટીમે વાસી બટેટા, વારંવાર વપરાયેલું દાઝેલું તેલ, સડેલા શાકભાજી, વાસી ઘૂઘરા-ચટણી અને પાણિપુરીનું અશુદ્ધ પાણી સહિત અંદાજે 417 કિલો જેટલો અખાદ્ય જથ્થો પકડી પાડી સ્થળ પર જ તેનો નાશ કર્યો હતો.


