સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભાતીગળ એવા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિરાસતથી વિકાસ લોકમેળાનો આજથી પ્રારંભ થવાનો છે. આજે સાંજે 4:30 કલાકે રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે આ ભવ્ય લોકમેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે. મેળાના પ્રથમ દિવસે જ રાઇડ્સને લઈને લોકોમાં નિરાશા જોવા મળી છે.કડક સુરક્ષા માપદંડો અને એસઓપીના કડક અમલના કારણે પ્રથમ દિવસે 34 જેટલી મોટી યાંત્રિક રાઇડ્સને મંજૂરી મળી નથી જેના કારણે રાઇડ્સ વિના મેળો ફીક્કો લાગી રહ્યો છે.
મેળામાં 34 રાઇડ્સને મંજૂરી નહીં
જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે લોકોની સલામતી માટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે.મેળામાં આવતા લોકોની સુરક્ષા સાથે કોઈપણ જાતનું સમાધાન ન કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે.તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જરૂરી મંજૂરી કે લાયસન્સ વિના એક પણ મોટી કે નાની યાંત્રિક રાઇડ શરૂ કરવા દેવામાં આવશે નહીં.13 સભ્યોની કમિટીનો નિર્ણય મેળામાં રાઇડ્સ શરૂ કરવા માટે 34 રાઇડ્સના 11 સંચાલકોએ મંજૂરી માટે અરજી કરી છે.જોકે, આ 34 રાઇડ્સનો જરૂરી અભિપ્રાય હજુ સુધી અધ્યક્ષ અને ડીસીપી જગદીશ બાંગારવાને મળ્યો નથી.
