મહેસાણા એ.સી.બી.ને ખાનગી રાહે માહિતી મળેલ કે, હિંમતનગર મામલતદાર કચેરીના અધિકારી/કર્મચારીઓ દ્વારા જમીનમાંથી ખનિજ કાઢવાની પરવાનગી માંગવાની અરજીઓમાં પોઝિટિવ અભિપ્રાય આપવા અને કોઈ હેરાનગતિ ન કરવા સારું અરજદારો પાસેથી રૂ.30 હજારથી થી રૂ.50 હજાર સુધીની લાંચની માગણી કરવામાં આવે છે. જે હકીકત આધારે વોચ રાખી ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવેલ. જે લાંચના ડિકોય છટકા દરમ્યાન આરોપીએ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.30 હજારની લાંચની માગણી કરી હતી અને ગુનામાં ઝડપાઈ ગયા હતા.
લાંચ લેનાર આરોપી













