સુરત શહેરના મધ્યમાં આવેલા ચોકબજાર રાજાઓવારા વિસ્તારમાં જાહેર માર્ગ પર ગેરકાયદેસર રીતે વકફ ઊભું કરીને મોટું દબાણ કરવામાં આવ્યું હોવાની બાબત સામે આવી હતી. આ ગેરકાયદે દબાણોને કારણે વાહનવ્યવહાર અવરોધાતો હતો અને ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાતી હતી.
ગેરકાયદે દબાણો પર ફર્યું મનપાનું બુલડોઝર
આ મામલે જાગૃત નાગરિકો અને સ્થાનિકો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે તમામ પક્ષોને સાંભળ્યા બાદ કડક વલણ અપનાવીને જાહેર માર્ગ પરના તમામ ગેરકાયદે દબાણો ત્વરિત હટાવીને આ તમામ જગ્યાનો કબજો સુરત મહાનગરપાલિકાને સોંપવાનો સ્પષ્ટ આદેશ કર્યો હતો.હાઈકોર્ટના આદેશનું પાલન કરતા સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનની દબાણ હટાવ શાખાની ટીમ આજે સવારે કાફલા સાથે ચોકબજાર ખાતે પહોંચી ગઈ હતી. મનપાની ટીમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખીને બુલડોઝરની મદદથી રસ્તા પર ઊભી કરાયેલી ગેરકાયદે પાનની કેબિનો તેમજ અન્ય પાકા દબાણોને જમીનદોસ્ત કરી દીધા હતા.
