સુરતના અડાજણ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં ગઢડાના એક ભુવાએ પિતૃદોષની વિધિ કરવાના બહાને એક મહિલા સાથે સંપર્કમાં આવ્યો હતો અને તે મહિલા પર આ ભુવાએ વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. સમગ્ર ઘટના મામલે મહિલાએ અડાજણ પોલીસ મથકમાં ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભુવાની ધરપકડ કરી હતી. મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આ મહિલાને પિતૃદોષ હોવાનું કહીને ગઢડાના ભુવા ગંગારામએ તેની સાથે સંપર્ક કેળવ્યો હતો.


વિધિ કરવાના બહાને મહિલા પર આચર્યુ દુષ્કર્મ

વિધિ કરવાના બહાને ભુવાએ મહિલાને વિશ્વાસમાં લીધી હતી. એકવાર ભાવનગરથી સુરત આવતા સમયે લક્ઝરી બસમાં ભુવાએ આ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. તદુપરાંત ભુવાએ એકથી વધુ વાર દુષ્કર્મ આચર્યુ હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મહિલાએ હિંમત કરીને અડાજણ પોલીસ મથકમાં ભુવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી હતી.

પોલીસે ફરિયાદ નોંધી ભુવાની કરી ધરપકડ

પોલીસે ભુવા ગંગારામને ઝડપી પાડવા માટે જુદી જુદી જગ્યાએ દરોડા પાડ્યા હતા અને આખરે તેની ધરપકડ કરી લીધી હતી. આ ઘટના દર્શાવે છે કે અંધશ્રદ્ધાના નામે લોકો ખાસ કરીને મહિલાઓનો કઈ રીતે ગેરલાભ ઉઠાવવામાં આવતો હોય છે. આવા ભુવા અને ઢોંગીઓ ધર્મ અને વિધિના નામે લોકોની લાગણીઓ અને વિશ્વાસનો દુરુપયોગ કરીને ગુનાહિત કૃત્યો આચરતા રહ્યા છે.


  • Follow us on: