સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના પોલીસ કમિશનર તરીકે નિમવામાં આવ્યા બાદ સુરત શહેર પોલીસ કમિશ્નરની ખાલી પડેલી જગ્યા પર ADGP વાબાંગ જામીરને ચાર્જ સોંપવામાં આવ્યો છે. વાબાંગ જામીર હાલ વેઈટિંગ ફોર પોસ્ટિંગ હતાં. નવો હુકમ ના થાય ત્યાં સુધી તેઓ સુરત પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળશે.
સુરત પોલીસ કમિશ્નરનો ચાર્જ સોંપવામાં આવ્યો
અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક રાજ્યના ડીજીપી બન્યા બાદ શહેરના પોલીસ કમિશનર તરીકેની જગ્યા ખાલી હતી. આ જગ્યા પર જી.એસ.મલિકને ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સોંપાયો હતો. જો કે, રથયાત્રાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા અમદાવાદના પોલીસ કમિશ્નરની ટૂંકાગાળામાં નિયુક્તિ કરી હોવાની ચર્ચાઓ છે. બીજી બાજુ સુરતના પોલીસ કમિશ્નરની જગ્યા ખાલી હોવાથી ત્યાં હાલમાં વેઈટિંગ ફોર પોસ્ટિંગ રહેલા ADGP વાબાંગ જામીરને સુરત પોલીસ કમિશ્નરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
