ઉત્તર ગુજરાતના થરાદમાં સૂચિત મંડળીએ દૂધ લેવાનું બંધ કરતા પશુપાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને લઈને વડગામના પશુપાલકો અધ્યક્ષની ઓફિસે પહોંચ્યા હતાં. પશુપાલકોએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રજૂઆત કરી હતી. પશુપાલકોએ તેમને રજૂઆત કરતાં કહ્યું હતું કે, સૂચિત મંડળી દ્વારા તેમનુ દૂધ ઉત્પાદન લેવામાં આવે. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા દૂધ નહીં લેવા અંગે પરિપત્ર કરાયો હતો.
સૂચિત મંડળીએ દૂધ લેવાનું બંધ કરતા રોષ ભભૂક્યો












